Sunday, 13 July 2014

કર્મચારીઓનું સરકાર સામે રણશિંગુ મંગળવારે ગાંધીનગરમાં અધિવેશન

ફિક્સવેતન, નિવૃત્તિવય અને છઠ્ઠા પગારપંચના અટકેલા લાભો સહિતના પડતર પ્રશ્ને આવેદનપત્ર આપ્યા બાદ ગુજરાત સરકાર તરફથી કોઈ જ હકારાત્મક નિર્ણય નહિ લેવાતા રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ મંગળવારે રાજ્યભરના ૩૦૦ જેટલા સંઘો, મહાસંઘો, એસોસિએશન, મંડળોના પ્રતિનિધિઓનું મહાઅધિવેશન બોલાવ્યુ છે. સંકલન સમિતિના પ્રવક્ત આર. એ. પટેલના જણાવ્યા મુજબ લોકસભાની ચૂંટણી પહેલા છઠ્ઠા પગારપંચના પડતર મુદ્દાઓ અંગે સરકારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાયેલી પરંતુ, તે સમયના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન મોદીએ સંકલન સમિતિના કર્મચારીની મૂલાકાત લઇને પડતર પ્રશ્નો ઉકલેવાની ખાત્રી આપી હતી

No comments:

Post a Comment